Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

કાલે ગોકુલનગરમાં ખેતલા આપાનો માંડવો

શ્રી ખેતલા આપા ધુન મંડળ, સમસ્‍ત ગોકુલનગર અને ભગીરથ સોસાયટીના લતાવાસીઓ દ્વારા હવન, સામૈયા નિકળશેઃ ભાવિકજનોને આમંત્રણ

રાજકોટઃ શહેરમાં ગોકુલનગર સંતકબીર રોડ, રામાપીરના મંદિરની સામે કનૈયા પાનવાળી શેરીમાં આવેલ ખેતલા  આપા નિવાસ ખાતે આવતીકાલે તા.૨૬ના ગુરૂવારે શ્રી ખેતલા આપાનો ૨૪ કલાકનો નવરંગો માંડવો યોજાએલ છે.

શ્રી ખેતલા આપા ધુન મંડળ, સમસ્‍ત ગોકુલનગર અને ભગીરથ સોસાયટી લતાવાસીઓ દ્વારા આયોજીત નવરંગા માંડવામાં પૂ.ઘનશ્‍યામપુરી બાપુ- ઘેડીયા, રાણી રૂડીમાના જાગત- રાજકોટ, નાથા ભગત- વસોંદરા, કેરાળાના ભગત, ગણેશ ભગત- આંબરડી, વાલા આપા- કંધેવાડીયા, જાનબાઈ મા- ગુંદા અને માનબાઈ મા - ખીજડીયા સહિતના સંતો મહંતો આશીર્વચન પાઠવશે.

કાલે ગુરૂવારે સવારે ૮ કલાકે થાંભલી રોપણ, ૧૦:૩૦ હવન શરૂ થશે, ૧૧:૩૦ સામૈયા નિકળશે. બપોરે ૧:૩૦ વાગે બીડુ હોમાશે. સાંજના પ્રસાદ રાખેલ છે.

આયોજનને સફળ બનાવવો ગેલાભાઈ વકાતર (મો.૯૮૨૪૪ ૪૭૩૮૧), સામંતભાઈ વકાતર (મો.૯૨૬૫૮ ૧૪૯૨૪), વિરમભાઈ વકાતર, પોપટભાઈ વકાતર, મુનાભાઈ વકાતર, વિપુલભાઈ ખીંટ, ડાયાભાઈ ટોયટા, ડાયાભાઈ રાતડીયા, નવઘણભાઈ ગોલતર, નારણભાઈ લામકા, કિર્તીસિંહ  ચુડાસમા વિ. જોડાયા છે.

(5:04 pm IST)