Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજકોટના અમીન માર્ગ પર બંગલોમાં ચોરી કે લૂંટના ઇરાદે ઘુસેલા શખ્સે રખેવાળ સોની વૃદ્ધની ડિસમિસના ઘા ઝીંકી હત્યા કરી

ઘરધણી પ્રવીણભાઈ પટેલ વડોદરા રહે છે: તેઓ ખોડલ ધામ પ્રમુખ નરેશભાઈ પટેલના વેવાઈ થાય છે

રાજકોટ: અહીંના અમીન માર્ગ પર આવેલા બંગલોમાં રખેવાળી કરતા અને સોની મહાજન વિષ્ણુભાઈ ઉ.વ.60ની ડિસમિસના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ખોડલ ધામના પ્રણેતા નરેશભાઈ પટેલના વેવાઈના બંધ બંગલોમાં વિષ્ણુભાઈ એકલા જ રહી રખેવાળી કરતા હતા. ઘરધણી બિલ્ડર પ્રવીણભાઈ પટેલ વડોદરા રહે છે. ચોરીના કે લૂંટના ઇરાદે બંગલોમાં પાછળની સાઈડથી આવેલા એક શખ્સે હત્યા કર્યાનું સીસીટીવી ફુટેજ પરથી બહાર આવ્યું છે. પોલીસ તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે.

(11:40 pm IST)