Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વસંતબેન મોદી પરિવાર દ્વારા જીવદયા માટે અનુદાન

 જીવદયા પ્રેમી માતુશ્રી વસંતબેન નટવરલાલ મોદીની દ્વીતીય પુણ્યતીથી નિમિતે સુપુત્ર રાજેન્દ્રભાઇ મોદી તથા પૌત્ર અપૂર્વભાઇ મોદી તરફથી રાજકોટ મહાજન પાંજરાપોળને રૂ.૫૧ હજાર તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઇન) ને રૂ. ૧૧ હજાર તથા પક્ષીઓ માટેની સંસ્થા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ (કલરવ) ને રૂ.૧૧ હજાર તથા ધોરાજી પાંજરાપોળને રૂ.૧૧ હજારનું દાન આપવામાં આવેલ. પાંજરાપોળ માટેનો ચેક મુકેશભાઇ બાટવીયાને, એનિમલ હેલ્પલાઇન વતી મિતલભાઇ ખેતાણી અને પ્રતિકભાઇ સંઘાણીને તેમજ કલરવ સંસ્થા વતી હરેશભાઇ પરસાણા અને સુનિલભાઇ વોરાને અર્પણ કરવામાં આવેલ. વસંતબેનના પુત્રી ભારતીબેન વિપીનભાઇ લાખાણી તરફથી પણ એનિમલ હેલ્પલાઇનને રૂ. ૧૧ હજાર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, હરેશભાઇ વોરા, અનિમેષભાઇ રૂપાણી વગેરે ઉપસ્થિત રહેલ.

(3:52 pm IST)