Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મવડી પાસે શાકભાજી લેવા જતી વખતે અકસ્માતમાં ઘવાયેલા નાથાભાઇ પટેલનું મોત

રાજકોટ તા.રપ : મવડીથી પાળ રોડ પર નવ દિવસ પહેલા શાકભાજી લેવા જઇ રહેલા પટેલ વૃધ્ધના બાઇકનું ટાયર ફાટતા અકસ્માતમાં ઘવાયેલા પટેલ વૃધ્ધનુંસારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.

મળતી વિગત મુજબ મવડીમાં પાળ બાયપાસ રોડ પર હરિદર્શન એપાર્ટમેન્ટ એ-ર૦રમાં રહેતા નિર્મળાબેન નાથાભાઇ દલસાણીયા (ઉ.વ.૬ર) ગત તા.૧૭-પના રોજ પત્ની નિર્મળાબેન (ઉ.વ.પ૯) સાથે જીજે૩ બી ડી ૭૯૯૦ નંબરનું બાઇક પર મવડી શાકભાજી લેવા માટે જતા હતા. ત્યારે પાળ બાયપાસ રોડ પર અચાનક  બાઇકનું આગળનુ ટાયર ફાટતા બંને બાઇક પરથી પડી જતા બંનેને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં નાથાભાઇ દલસાણીયાનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. મૃતક નિવૃત જીવન ગાળતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ.ગઢવી તથા રાઇટર દિવ્ય રાજસિંહે તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)