Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સ્વ.હરેશભાઈ લાખાણીની સ્મૃતિમાં ખોડીયારધામ આશ્રમે કાલે રકતદાન કેમ્પ

રાજયપાલ વજુભાઈ વાળા શ્રધ્ધાંજલી અર્પશેઃ સિવિલ હોસ્પિટલના લાભાર્થે ૧૨૦૦થી વધુ રકતદાતાઓ રકતદાન કરશેઃ સંતવાણીમાં બ્રિજદાન ગઢવી જમાવટ કરશે

રાજકોટ,તા.૨૫: વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી, ખોડીયારધામ આશ્રમ (કાગદડી)ના ટ્રસ્ટી, રઘુવીર યુવા સેનાના પ્રમુખ, વિરપુર પદાયાત્રાના મુખ્ય સંયોજક, રઘુ કૂળ યુવા ગ્રુપ, રઘુવંશી પરીવારના યુવા કાર્યકર, રોગી કલ્યાણ સમિતિ- પંડીત દીન દયાલ હોસ્પિટલના પુર્વ સભ્ય, હિન્દુ જાગરણ મંચના સહમંત્રી, પંડીત દીન દયાલ ઉપાધ્યાય દર્દી સેવા સમિતિના ખજાનચી, શ્રી રાજ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રખર રાષ્ટ્રવાદી- સેવા ભાવી, નિયમીત રકતદાતા સ્વ.હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાંજલિ રૂપે સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડિત બાળકો માટે શ્રી ખોડીયારધામ આશ્રમ, મોરબી હાઈવે, કાગદડી ધુના, રાજકોટ ખાતે આવતીકાલે શનિવારે તા.૨૬ના સાંજે ૬ થી ૧૦ દરમ્યાન રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. આ શ્રધ્ધાંજલી રકતદાન કેમ્પમાં સ્વ.હરેશભાઈ લાખાણી પરીવારના મોભી અને કર્ણાટકના રાજયપાલ મહામહિમ વજુભાઈ વાળા ખાસ પધારી પોતાની શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. સૌ રકતદાતાઓ માટે સાંજના ભોજન- પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રકતદાન કાર્યક્રમ પૂર્ણ થયે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં બ્રિજરાજદાન ગઢવી સહિતના કલાકારો સ્વ.હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાસૂમન અર્પણ કરશે.

આ પ્રસંગે શ્રી ખોડીયારધામ આશ્રમના મહંત પ.પૂ.શ્રી જેરામદાસ બાપુ (કાગદડી, ધુના) આશીર્વાદ પાઠવશે. વિશેષ માહિતી માટે મો.૭૮૦૧૯ ૨૨૦૪૪, ૯૮૭૯૫ ૮૭૧૪૩ પર સંપર્ક કરવો.

તસ્વીરમાં શ્રી શ્રી ૧૦૮ જયરામદાસ બાપુ, પરેશભાઈ વિઠલાણી, જીતેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ ગોસ્વામી, રક્ષીતબાઈ કલોલા, બિપીનભાઈ કેશરીયા, લલિતભાઈ ઠાકર, નિર્મળસિંહ ગોહિલ, વિક્રમસિંહ પરમાર, પરેશભાઈ હરસોડા (કોર્પોરેટર વોર્ડ- ૧૧), અરવિંદભાઈ જાડેજા, નિરવ રૂપારેલીયા, પાર્થ વાડોદરીયા, મેહુલ નથવાણી, વિપુલભાઈ કારીયા, ઉમેશભાઈ સેદાણી, મુકેશભાઈ રાદડીયા (કોર્પોરેટર વોર્ડ-૬), કૌશીકમાનસતા, રાજુભાઈ પોપટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:58 pm IST)