Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રઘુવીરપરામાં કડીયા કામ વખતે રતનપરના આધેડ બેભાનઃ મોત

હમીરભાઇ રાઠોડને હોસ્પિટલે ખસેડાયા પણ...

રાજકોટ તા. ૨૫: રતનપર રહેતાં હમીરભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.૪૫) નામના દલિત આધેડ રાજકોટ રઘુવીરપરા-૯માં જુની ટ્રાફિક ઓફિસ પાછળ કડીયા કામની મજૂરીએ આવ્યા હતાં ત્યારે છાતીમાં અચાનક દબાણ થતાં અને બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. અગાઉ પણ હમીરભાઇએ એક વખત એટેક આવી ગયો હોવાનું તેના પરિવારજનોએ પોલીસને કહ્યું હતું.હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એસ. વી. સાખરા અને મદદનીશ ભીખાભાઇ પટેલએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)