Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રવિવારથી શ્રી જીવદયા અન્નક્ષેત્ર ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ

વ્યાસાસને જીજ્ઞાબેન મહેતા : અંબિકા ટાઉનશીપ, જીવરાજપાર્કમાં શ્રી અંબાજી માતાજીના મંદિરે ભવ્ય આયોજન

રાજકોટ તા.૨૫ : શ્રી જીવદયા અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી બાપા સીતારામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખશ્રી દમુમાના સાનિધ્યમાં શ્રી જીવદયા અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ, અંબિકા ટાઉનશીપ જીવરાજપાર્ક, શ્રી અંબાજી માતાજીનું મંદિર કાલાવડ રોડ રાજકોટ ખાતે શ્રી જીવદયા અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે તા.૨૮-૪-૧૯ને રવિવારથી તા.૪-પ-૨૦૧૯ને શનિવાર સુધી શ્રીમતી જીજ્ઞાબેન મહેતાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન જયેશભાઇ ભટ્ટીની આગેવાનીમાં કરવામાં આવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત તા.૨૮ને રવિવારે સવારે ૯ વાગ્યે દેવસ્થાન પૂજન, બપોરે ૩ વાગ્યે પોથીયાત્રા, બપોરે ૪ વાગ્યે મહાત્મય કથા, તા. ૨૯ને સોમવારે બપોરે ૩ વાગ્યે કપીલ જન્મ, તા.૧ ને બુધવારે બપોરે ૩ વાગ્યે નૃંસિંહ જન્મ, શ્રીવામન જન્મ, તા.રને ગુરૂવારે બપોરે ૪ વાગ્યે શ્રીરામ જન્મ, સાંજે પ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, તા.૩ને શુક્રવારે બપોરે ૩ વાગ્યે ગીરીરાજ ઉત્સવ બપોરે પ વાગ્યે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા. ૪ ને શનિવારે સાંજે ૭ વાગ્યે સુદામા ચરિત્ર તથા સાંજે કથા વિરામ લેશે.

કથા દરમિયાન તા.૨૮ને રવિવારથી તા.૪ને શનિવાર સુધી દરરોજ રાત્રીના ૯ વાગ્યે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

કથા દરમિયાન ઘોઘુભા જાડેજા, રાજભા જાડેજા, ખોડુભા જાડેજા, મનોજભાઇ પનીરા, ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, છગનભાઇ પરમાર, હરીભાઇ ડોડીયા, દેવજીભાઇ વાઘેલા, કાળુમામા, મિતુલભાઇ દોંગા, મુનાભાઇ પરમાર, પી.ટી.જાડેજા, ભરતભાઇ ભટ્ટી, ભરતભાઇ, જયેશભાઇ ઉપાધ્યાય, ગીરીશભાઇ શાહ, પ્રવિણસિંહ જાડેજા, પ્રવિણભાઇ જોગંગીયા, રમેશભાઇ ઠકકર, છગનભાઇ પટેલ, ગોર્વધન ગૌશાળા ડો.અનંત રૂપારેલીયા, ડો.ભાવેશ, આર.જે.યોગેશભાઇ પૂજારા, દિલીપભાઇ, ભૂપતભાઇ શાહ, કિરીટભાઇ કુંડલીયા, લલીતભાઇ કગથરા, ડો.વલ્લભભાઇ કથીરીયા, છગનભાઇ કથીરીયા, હરિચંદ્રસિંહ જગતસિંહ જાડેજા, જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, વિક્રમભાઇ, દિપકભાઇ, મિતુલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, કેતનભાઇ મારવાડી, ઠાકરશીબાપુ, શિવાનંદજી બાપુ, કે.સી.પટેલ, પ્રફુલભાઇ, કાંતીભાઇ, કિશાન ગૌશાળા, શ્રીજી ગૌશાળા, ઢોલેરા પાંજરાપોળના રાજુભાઇ તથા દિગ્વિજયસિંહ તુવર સહિતના ઉપસ્થિત રહેશે.ભાવિકોને લાભ લેવા શ્રી જીવદયા અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ભટ્ટી, શ્રી બાપા સીતારામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દમુભાએ આમંત્રણ પાઠવ્યુ છે.

(3:57 pm IST)