Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જળ સંચય અભિયાન

 પાણી રીચાર્ય  માટે જનજાગૃતિ અભિયાન ચલાવતા નીલ અને વૃતિકા રાજાણી દ્વારા તાજેતરમાં કાલાવડ રોડ ઉપર આવેલ બાલાજી મલ્ટીફલેકસની મુલાકાત લઇ રેઇન વોટર હાર્વેસ્ટીંગ અંગે માહીતી વર્કરોને અપાઇ હતી. ફેકટરીના માલીક પ્રણવભાઇ ભાલાળા અને એચ.આર. હાર્દીકભાઇએ સાથે રહેલ. એજ રીતે ગૌતમ ટેકનોકાસ્ટમાં પણ આવો કાર્યક્રમ અપાયો હતો. જેમાં પ્રફુલભાઇ, અક્ષરભાઇ, રૂબીનાબેન, જયદીપભાઇ થાનકીએ સાથે રહી વર્કરોને વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારવા સંબંધી માહીતી અપાવી હતી. તસ્વીરમાં નાની ઉંમરના નીલ અને વૃતિકા રાજાણી (મો.૭૬૦૦૬ ૭૮૦૫૮) ફેકટરી વર્કરોને સચિત્ર સાહિત્ય આપી માર્ગદર્શન આપી રહેલા નજરે પડે છે.

(3:56 pm IST)