Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પત્નિથી ત્રાસીને પોપટપરાના નિલેષ કારીયાએ રેસકોર્ષમાં ઝેરી દવા પીધી

પત્નિ પૂનમ વારંવાર ખોટી ફરિયાદો કરતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫:પોપટપરા શેરી નં. ૧૪માં રહેતાં અને સોડાની દૂકાનમાં નોકરી કરતાં નિલેષ નિતીનભાઇ કારીયા (ઉ.૩૭) નામના યુવાને રેસકોર્ષ બગીચામાં ઉંદર મારવાની દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પત્નિ પૂનમના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનું તેણે કહ્યું હતું.

નિલેષે ઝેર પી લેતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે પ્ર.નગરમાં જાણ કરી હતી. નિલેષે કહ્યું હતું કે તેના લગ્ન સુરતની પૂનમ સાથે થયા છે અને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે. તેણે આક્ષેપો સાથે કહ્યું હતું કે  મારી પત્નિ અવાર-નવાર ઘરમાં ઝઘડા કરે છે અને મારા મમ્મી સાથે પણ ગેરવર્તન કરે છે. મારા બહેને સમાધાન કરાવવા આવતાં તેને પણ પૂનમે ગાળો દીધી હતી. તે સતત ખોટેખોટી મારા વિરૂધ્ધ પોલીસમાં અરજીઓ કરે છે. જેથી મને મહિલા પોલીસમાંથી ફોન આવે છે. આમ તેના ત્રાસથી હું કંટાળી ગયો હોવાથી મેં આ પગલું ભર્યુ છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

(3:55 pm IST)