Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુડાવડના ભદ્રકાળી માતાજીના મંદિરે રવિવારે સમુહ યજ્ઞોપવિત સંસ્કાર : ૧૨ બટુકો જનોઇ ધારણ કરશે

રાજકોટ તા. ૨૫ : ભદ્રકાળી માતાજી મંદિર ટ્રસ્ટ, સુડાવડ ગામે આગામી તા. ૨૮ ના રવિવારે સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે હ.ભારતીબાળા રમેશભાઇ ઠાકરના આર્થીક સહયોગથી ભારતી વિદ્યોતેજક સહાય ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત આ દ્વીતીય સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં ૧૨ બટુકો જનોઇ ધારણ કરશે.

અધ્યક્ષ સ્થાને ઠાકર પરીવારના કુળગુરૂ મહંતશ્રી રામદાસબાપુ, અ.ભા.પ઼ચ નિર્મોહી અની અખાડા રામપરાના મહંત શ્રી રાજેન્દ્રબાપુ તેમ મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, મારૂતી કુરીયરના મેનેજીંગ ટ્રસ્ટી રામભાઇ મોકરીયા, સુડાવડના સીતારામ બાપુ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, આઇ.પી.એસ. અધિકારી સુભાષભાઇ ત્રિવેદી, શશીશાંતભાઇ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા હિતેષભાઇ જોષી, રમેશભાઇ ઠાકર, અશોકભાઇ ઠાકર, જે. એમ. ઠાકર, મુકુંદભાઇ ઠાકર, શૈલેષભાઇ જોષી, પરેશભાઇ ત્રિવેદી, ચિરાગભાઇ ઠાકર, જયંતભાઇ ઠાકર વગેરેે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)