Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અબતક મીડિયાના સતીષભાઈ મહેતાના માતુશ્રી જશવંતીબેનનું દુઃખદ નિધનઃ સ્મશાનયાત્રાઃ કાલે રાજકોટમાં પ્રાર્થનાસભા

રાજકોટ : જશવંતિબેન શાંતિલાલ મહેતા (ઉ.વર્ષ ૮૫ ) તે સ્વ શાંતિલાલ ઓધવજી મહેતાના ધર્મપત્ની  તેમજ   સતિષભાઈ (અબતક મીડિયા), નરેશભાઈ, યોગેશભાઈ, યોગનાબેન, અરૂણાબેન નૈનેશભાઈ સંઘવી, અમીતાબેન સંજયભાઈ ભાયાણી, બીનાબેનના માતુશ્રી તથા  સ્વ. વાડીલાલભાઈ, રતીલાલભાઈ નવીનભાઈ, કિરણભાઈ, ભુપતભાઈના ભાભી તેમજ સ્વ. દુર્લભજીભાઈ મોતીચંદ વખારીયા (ખોરાણા)ના પુત્રીનું તા. ૨૪ ને બુધવારના રોજ દુઃ ખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા આજે ગુરૂવારે સવારે ૮ કલાકે તેમના નિવાસ સ્થાન 'સનયોગ' ગીત ગુર્જરી સોસા. ૮ એરપોર્ટ રોડ રાજકોટ ખાતેથી નિકળી રામનાથપરા સ્મશાન  ખાતે પહોંચી હતી. સદ્દગતની સ્મશાનયાત્રામાં પરિવારજનો, સામાજીક, રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.  સદ્દગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા. ૨૬ ને શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૧ બીએપીએસ હોલ સ્વા. મંદિર કાલાવડ રોડ ખાતે રાખેલ છે. (શ્રી સતિષભાઈ મહેતા મો.૯૩૭૪૧ ૦૯૪૯૩) (૩૦.૩)

(11:40 am IST)