Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

મ.ન.પા.ના પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા કોરોનાની ઝપટે ચડયા

તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

રાજકોટ,તા.૨૫: મ્યુ.કોર્પોરેશનનાં પુર્વ  વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.

શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. દરરોજ કેસનાં આંકડા વધી રહ્યા છે. અને હવે સમુહમાં કોરોનાં સંક્રમણ ફેલાતુ હોઇ તંત્ર ચિંતીત બન્યુ છે.

મ્યુ.કોર્પોરેશનનાં પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૧૫નાં કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયાને સામાન્ય શરદી-ઉધરસ બાદ તાવ જણાતાં તેઓએ કોરોના રિપોર્ટ કરાવતા આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.તેઓએ જણાવ્યુ હતુ કે, તેમના પરિવારજનો અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા.

અત્રે નોંધનીય છેકે, ગઇકાલે શહેરનાં આકાશવાણી કેન્દ્રનાં પ અધિકારીઓ અને તેમનાં પરિવારજનો સહિત ૧૮ ને કોરોનાં થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

(4:21 pm IST)