Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચંદ્રેશનગરમાં મકાનના દસ્તાવેજ બાબતે ભાઇના ઘરે ગયેલા નરેન્દ્રસિંહ ઉર્ફે નયન પર હુમલો

સંયુકત મિલકતનું મકાન વેચવા માટે દસ્તાવેજ લેવા જતા બહેન સરોજ અને ભાણેજ રાજદીપસિંહને સારૂ ન લાગતા હુમલો કર્યો

રાજકોટ તા.૨૫: મવડી મેઇન રોડ નવલનગરમાં રહેતા રજપુત યુવાન ચંદ્રેશનગરમાં ભાઇના ઘરે મકાનના દસ્તાવેજ બાબતે ભાભીને સમજાવવા જતા બહેન અને ભાણેજે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવલનગર શેરી નં.૬માં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે નયન ગગજીભાઇ ડોડીયા (ઉ.વ.૩૮)એ માલવીયાનગર પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતે રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે પોતે તથા પત્ની સાથે ચંદ્રેશનગર મેઇન રોડ પર આસોપાલવ પાર્ક શેરી નં.૨માં રહેતા મોટાભાઇ વિજયભાઇના ઘરે ગયા હતા. અને પોતે હાલમાં જયાં રહે છે તે મકાનનો દસ્તાવેજની ફાઇલ લેવા માટે ગયા હતા. અને અમારી ફાઇલ બાબતની સોનુબેન સાથે વાત કરેલ અને આ વખતે મારા સગા બહેન સરોજબેન ખુમાણસિંહ ડાભી તથા તેનો દીકરો રાજદીપસિંહને સારૂ ન લાગતા તે બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઇને ભાણેજ રાજદીપે હોકી વડે મારમારી માથામાં તથા પડખામાં તથા પત્ની આશાને પણ વાંસામાં ચેઇન ફટકારી ઇજાકરી હતી અને મારી દીકરીને પણ મૂંઢ માર મારી અને કપડા પર શિશામાં થી કેરોસીન નાખેલ હતુ. બાદ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ  મલેકે તપાસ હાથધરી છે.

(4:25 pm IST)