Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોઇના અભાવમાં, કોઇના પ્રભાવમાં ન જીવો, માત્ર તમારા સ્વભાવમાં જીવતા શીખો : પૂ.ધીરજમૂનિ મ.સા.

જોરાવરનગર જૈન સંઘમાં પ્રવચન યોજાયું

રાજકોટ તા ૨૫ :  શ્રી જોરાવરનગર સ્થાનકવાસી જૈન ઉપક્રમે જૈન મૂનિ પૂ. રામઉત્તમકુમાર મુનિ, પૂ. જિતેન્દ્રમુનિ, તથા પૂ.શ્રી ધીરજમૂનિ મ.સા. આદિ તથા પૂ. પૂર્ણિતાજી મહાસતીજી ના મિલનથી ઉમંગ છવાયો હતો.

પૂ.શ્રી ધીરગુરૂદેવે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને જણાવેલ કે તમારા દુઃખનું કારણ વસ્તુ કે વ્યકિતનો અભાવ નહીં, પરંતુ અજ્ઞાન દશા છે, માટે સુખી બનવા કોઇના અભાવમાં ન જીવો અને કોઇના પ્રભાવમાં ન જીવો, એક માત્ર સ્વયંના સ્વભાવમાં જીવતા શીખી જાઓ.

પૂ. જિતેન્દ્રમુનિ મ.સા. એ કહેલ કે અનુપ્રેક્ષા, ચિંતન, મનન કરશો તો સ્વભાવમાં જીવી શકશો.

(4:23 pm IST)