Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રમણિક કુંવરબા વૃધ્ધાશ્રમ અને બાલ સંસ્કાર કેન્દ્રમાં હોળી ધુળેટીની ઉજવણી

રાજકોટ : અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રમણિક કુંવરબા વૃધ્ધાશ્રમ અને શ્રમિકોના બાળકો માટેના બાલસંસ્કાર કેન્દ્ર રામનાથપરા ખાતે હોળી ધૂળેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. બાળકોના વાલીઓએ પરસ્પર તીલક હોળી રમીને પર્વનો આનંદ લીધો હતો. વૃધ્ધાશ્રમના વડીલોએ પરંપરાગત ભજન અને મંત્રોચ્ચાર કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધેલ. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, શિક્ષણવિદ્દ પ્રાચાર્ય મિનળબેન રાવલ, પરિષદ મંત્રી પ્રવિણાબેન જોશી, રેશમાબેન સોલંકી, કુસુમબેન, પ્રેમલતાબેન, લાભુબેન, ટ્રેસીબેન વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ માટે શીલાબેન રાઠોડ, સબનમબેન ઠેબા, પ્રફુલ્લાબા ઝાલા, પારૂલબેન પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)