Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ઓબીસી એકતા પરિષદ દ્વારા ગુરૂવારથી હોસ્પિટલ ચોકમાં અચોકકસ મુદતના ધરણા

રાજકોટ તા. ૨૫ : અનામત વિરોધી અન્યાય કરતા પરીપત્રો અને ઠરાવો રદ કરવાની માંગણી સાથે ઓબીસી એકતા પરીષદ દ્વારા તા. ૨૭ ના ગુરૂવારથી રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં અચોકકસ મુદતના ધરણાનું એલાન કરાયુ છે.

ઓબીસી એકતા પરીષદના શહેર પ્રમુખ ઓમકુમાર મહેતાની યાદીમાં જણાવાયુ છે કે ગુજરાત સરકાર જયાં સુધી બંધારણ તેમજ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન અનુસાર ભરતીના નવા પરીપત્રો બહાર ન પાડ ત્યાં સુધી તમામ નોકરીઓ, યુનિવર્સિટીઓ, પંચાયતો, નગરપાલિકાઓ સહીત તમામ ભરતી પ્રક્રિયા ન કરે તેવી પણ અમારી માંગણી છે.

આ માંગણીઓ સંદર્ભે આયોજીત આ ધરણા છાવણીમાં એસ.સી., એસ.ટી., ઓબીસીના જાગૃત નાગરિકોને ઉપસ્થિત રહેવા વેરસીભાઇ ગઢવી, કરણાભાઇ માલધારી, યુનુસ સપા, ડી. જે. સોમૈયા, રવિભાઇ ચૌહાણ, કે. બી. સરવૈયા, નીરૂબેન આહીર, હેમ઼તભાઇ લોખીલ, અરવિંદભાઇ ગોહીલ, સતીશભાઇ સાગઠીયા, વિજયસિંહ ડોડીયા, રમેશભાઇ જાદવ, ભરતભાઇ મુસડીયા, જતીનભાઇ રાઠોડ, ઓમકુમાર મહેતા (મો.૯૯૧૩૯ ૪૦૮૦૨) એ અપીલ કરી છે.

(3:39 pm IST)