Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કસ્તુરબા હરિજનવાસમાં આરતી વાલ્મિકીને તું વાંજણી છો, કંઇ લાવી નથી કહી ત્રાસઃ પતિ સહિત ૧૨ જણા સામે ગુનો

રાજકોટઃ હાલ જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં પિતાના ઘરે રહેતી આરતી કિશન નારોલા (ઉ.૨૬) નામની વાલ્મિકી પરિણીતાએ કસ્તુરબા હરિજનવાસમાં રહેતાં પતિ કિશન નારોલા, સાસુ મંજુબેન નારોલા, જેઠ સુરેશભાઇ ભીખાભાઇ નારોલા, જેઠાણી પુનમબેન સુરેશભાઇ, રૂખડીયાપરામાં રહેતી નણંદ નીતા અનીલ રાઠોડ, રમાબેન ભરત સોલંકી, નણદોયા ભરત સોલંકી, જામનગર રહેતી ત્રીજી નણંદ હકીબેન હકેશભાઇ, નણદોયા હકેશ, ભગવતીપરા સુખસાગરમાં રહેતી અન્ય નણંદ ઇલુબેન અનિલભાઇ અને નણદોયા અનિલભાઇ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે.

આરતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના એકાદ વર્ષ બાદથી બધાએ એક સંપ કરી નાની-નાની વાતે ઝઘડા કરી તું કરીયાવરમાં કંઇ લાવી નથી, તને કામ આવડતું નથી તેમ કહી મેણા ટોણા મારી તેમજ નણંદ-નણદોયાઓએ તું વાંજણી છો તેમ કહી ચઢામણી કરતાં પતિએ મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. હેડકોન્સ. ગીતાબેન પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)