Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રેલ્વે સ્ટેશન સામે બીમારીથી અજાણ્યા યુવાનનું મોત : વાલીની શોધ

રાજકોટ,તા. ૨૫ : શહેરના રેલ્વે સ્ટેશનના ગેઇટની સામે એક અજાણ્યા યુવાનનું બીમારીના લીધે સારવાર દરમ્યાન મોત નિપજતા પ્રનગર પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રેલ્વે સ્ટેશનના ગેઇટની સામે ગત તા. ૩૦/૧૨ના રોજ ફૂટપાથ પર એક આશરે ૪૫ વર્ષનો અજાણ્યો યુવાન બીમારીના કારણે બેભાન પડ્યો હોવાની કોઇએ જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્ટિલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ માલવીયા સહિતે હોસ્ટિલે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નં. -૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:01 pm IST)