Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કલેઇમ પ્રેકટીશનર્સ એસો.નો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયોઃ બાર એસો.ના હોદેદારોનું સન્માન કરાયુ

રાજકોટ, તા.૨૫: મોટર એકસીડન્ટ કલેઇમ પ્રેકટીસનર્સ એસોસીએશનનો વાર્ષિક સ્નેહ મીલન સમારોહ યોજાયો હતો.

જેમાં રાજકોટ બાર એસોસીએશનના ચુંટાયેલ નવનીયુકત હોદેદારોનું સન્માન કરવામાં આવેલ હતું.

ગત તા.૨૧/૧/૨૦૨૩ને શનીવારના રોજ ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે એમ.એ.સી.પી બાર એસોસીએશન દ્વારા નોંધાયેલા સભ્યોનો એક વાર્ષિક સ્નેહમીલનનો સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં કાર્યક્રમનું સંચાલન એમ.એ.સી.પી બારના ઉપપ્રમુખ એ.યુ.બાદી દ્વારા કરવામાં આવેલ અને આ સમયે એમ.એ.સી.પી બારના પ્રમુખ અજય કે.જોષી દ્વારા ગત વર્ષમાં યોજાયેલ છેલ્લી ત્રણ લોક અદાલતમાં આશરે ૧૪૦૦ જેટલા કેઇસોનું સમાધાન કરવામાં આવેલ અને બે લોક અદાલતમાં સમગ્ર રાજયમાં એમ.એ.સી.પી કેસોનો નીકાલ કરવામાં રાજકોટ પ્રથમ સ્થાને આવેલ તે અંગે તમામ સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવેલ અને અભિનંદન આપવામાં આવેલ. આ સમયે ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક શ્રી અનીલભાઇ દેસાઇ તેમજ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે.શાહી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ડીસીપ્લીનરી કમીટીના કો-ઓપ્ટ મેમ્બર શ્રી સંજયભાઇ ગ્રામીણ બેંકના રીજીયોનલ મેનેજર પણ હાજર રહેલ હતા.

આ કાર્યક્રમમાં એમ.એ.સી.પી બારના સીનીયર ધારાશાસ્ત્રીઓ શ્રી જયપ્રકાશ ત્રીવેદી, સુનીલભાઇ મોઢા, પી.આ.દેસાઇ, અર્જુન એસ.પટેલ, આર.એમ.પંડયા, કે.એલ.વ્યાસ, પી.એચ.કોટેચા, વીરાજ દોશી, સંજય બાવીસી, મનીષ ખખ્ખર, મુકુંદસિંહ સરવૈયા, રક્ષીત કલોલા, એન.આર.શાહ, મુકેશ દેસાઇ, આર.આર.મેહતા, જી.બી.ત્રીવેદી, આર.વી.પારેખ, મકસુદ પરમાર, પ્રિયાંક ભટ્ટ, જય ચૌધરી, જી.આર.પ્રજાપતી, ડી.આર.પટેલ, એસ.ટી.જાડેજા, રક્ષાબેન ઉપાધ્યાય, નીશાબેન પોપટ, સ્તુતીબેન ત્રીવેદી, વી.ડી.મેહતા વગેરે ધારાશાસ્ત્રીઓએ હાજરી આપેલ હતી. તેમજ આ કાર્યક્રમની આભાર વીધી વિશાલભાઇ ગોસાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.એ.સી.પી બારના હોદેદારો પ્રમુખ અજય કે.જોષી, ઉપપ્રમુખ એ.યુ.બાદી, સેક્રેટરી વિશાલ ગોસાઇ, જોઇન્ટ સેક્રેટરી આર.પી.ડોરી, ટ્રેઝરર ભાવેશ મકવાણા અને કારોબારી સભ્યો પ્રતીક વ્યાસ, મૌલીક જોષી, અજય સહેદાણી, સંજય નાયક, હેંમત પરમાર, કરણ ગઢવી, જયોતીબેન શુકલએ જહેમત ઉઠાવેલ હતી.

(3:19 pm IST)