Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શહેરમાં બપોર સુધીમાં કોરોનાના ૨૫૫ કેસ નોંધાયા

હાલ ૮૫૬૦ દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૫૫,૬૧૫ એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૨૫ : શહેરમાં દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્‍યારે આજ બપોર સુધીમાં ૨૫૫ કેસ નોંધાયા છે. હાલ ૮,૫૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૨૫૫ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૫૫,૬૧૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૬,૪૪૦ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૨૫૫૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૮૮૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩૪.૮૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૩૮,૦૪૬ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૩૮ ટકા થયો છે. રિકવરી રેટ ૮૩.૮૮ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૪૬૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે.

 

(2:25 pm IST)