Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સંત કબીર રોડ આર્યનગર પાસે મીની બસમાં આગ લાગી

રાજકોટ : સંત કબીર રોડ પર આર્યનગર સોસાયટી પાસે પાર્ક કરેલી જીજે૩વાય-૮૦ નંબરની બસના એન્જીનના ભાગે એકાએક આગ લાગતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બસના માલીક ભરતભાઇ લાલજીભાઇ કકાણીયાએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ વાયરીંગમાં શોટ સર્કિટના કારણે લાગી હોવાનું બસના માલીકે જણાવ્યું હતું. આગમાં બસની આગળ એન્જીનનો ભાગ બળી ગયો હતો.

(3:28 pm IST)