Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

એસઓજીના પીએસઆઈ એમ.એસ. અંસારીના સંવેદનશીલ કાર્યને બીરદાવતા પોલીસ કમિશનર

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશનર ખુરશીદ અહેમદ અને ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી એસઓજી શાખાના પીઆઈ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એસ. અંસારી તથા વિજેન્દ્રસિંહ ઝાલા, ફીરોઝભાઈ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા અને મહમદ અઝરૂદ્દીન બુખારી સહિતે એસીપી જયદીપસિંહ સરવૈયાએ અરજી અનુસંધાને તપાસમાં હતા દરમ્યાન અરજીમાં સામાવાળાનો પરીવાર અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતો હોય, તેમની દીકરીને સાંભળવાની તકલીફ હોય જે પેટે મશીન ખરીદવા માટે પુરતા પૈસા ન હોય જે બાબતે એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એસ. અંસારી તથા ટીમે માનવીય અભિગમ અપનાવી તે પરિવારને મદદ કરી સમાજમાં ઉદાહરણ પુરૂ પાડયુ હતું. આ માનવીય કાર્યને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઈ એમ.એસ. અંસારીને સન્માનપત્ર પાઠવી બીરદાવ્યા હતા.

(4:11 pm IST)