Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રામાપીર મંદિરે સર્વરોગ નિઃશુલ્ક આયુર્વેદિક - હોમિયોપેથી કેમ્પ

રાજકોટ : પ્રજાસત્તાક દિનની રાજય કક્ષાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા પછાત વિસ્તારમા઼ નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં વિસ્તારના કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ અને ગેલાભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામદેવપીર મંદિર (સંત કબીર રોડ) ખાતે આયોજીત કેમ્પમાં વૈદ્ય ભાનુભાઈ મેતા (આયુર્વેદ ખેરડી), વૈદ્ય ભારતીબેન જેઠવા (આયુર્વેદ સિવિલ), ડો.જયોતિબેન સોઢા (હોમિયોપેથી સિવિલ)એ સેવા આપી હતી. આ કેમ્પનો કુલ ૨૩૮ લોકોએ લાભ લીધો હતો. તેમ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત રાજકોટના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય આર.કે. કાલરીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)