Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૭ દિ' પહેલા અકસ્માતમાં ઘવાયેલા છોટુનગર ઝૂપડપટ્ટીના પ્રોૈઢ ગાંડાભાઇ સમેચાનું મોત

ફ્રુટની ફેરી કરવા નીકળ્યા ત્યારે કાર ચાલકે ઉલાળી દીધા'તાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫: સાત દિવસ પહેલા પુષ્કરધામ રોડ માસુમ સ્કૂલ પાસે એક કારના ચાલકે છોટુનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક પ્રોૈઢને ઠોકરે ચડાવતાં ઇજાઓ થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં અને ફ્રુટની ફેરી કરી ગુજરાન ચલાવતાં ગાંડાભાઇ રાયાભાઇ સમેચા (દેવીપૂજક) (ઉ.વ.૫૫) ૧૮મીએ બપોરે એકાદ વાગ્યે રેંકડીમાં ફ્રુટ ભરી ફેરી કરવા ગયા હતાં. પુષ્કરધામ રોડ પર ચા પીવા ઉભા રહ્યા ત્યારે એક ફોરવ્હીલર વાહનની ઠોકરે ચડી જતાં માથા-શરીરે ઇજાઓ થઇ હતી. તેમને સિવિલમાં અને ત્યાંથી મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી ગઇકાલે ફરીથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ગાંડાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(12:10 pm IST)