Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવના માતુશ્રીનું દુઃખદ અવસાન

૯૨ વર્ષના શાંતાબેને ગઈ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધાઃ સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાઃ પરિવારનો વડલો ખરી પડતા વૈષ્ણવ પરિવાર શોકમાં ડૂબ્યો

વી.પી. વૈષ્ણવના માતુશ્રી શાંતાબેન પોપટભાઈ વૈષ્ણવ અનંતયાત્રાએ નિકળતા સમગ્ર વૈષ્ણવ પરિવાર શોકમાં ગરકાવ થયેલો તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ડેરી એસોસીએશનના પ્રમુખ તથા પાટીદાર આગેવાન વી.પી. વૈષ્ણવના માતુશ્રી શાંતાબેન પોપટભાઈ વૈષ્ણવ (ઉ.વ. ૯૨)નું ગઈકાલે મોડી રાત્રે દુઃખદ અવસાન થતા સમગ્ર વૈષ્ણવ પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

સદ્ગત શાંતાબેન અત્યંત માયાળુ, ધર્મપ્રેમી, કુટુંબપ્રેમી તથા સેવાભાવી હતા. તેઓ પોતાની પાછળ પુત્ર વેલજીભાઈ વૈષ્ણવ (વી.પી.), વલ્લભભાઈ વૈષ્ણવ, પુત્રીઓ જ્યોત્સનાબેન, લક્ષ્મીબેન તથા વાલીબેન અને પૌત્રો સમીર વેલજીભાઈ વૈષ્ણવ અને મૌલિક વલ્લભભાઈ વૈષ્ણવને વિલાપ કરતા છોડી ગયા છે.

સદ્ગતની આજે સવારે વી.પી.ના નિવાસસ્થાનેથી નિકળેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો, સગા-સંબંધીઓ, મિત્રો, ચેમ્બર ઓફ કોમર્સના સાથીઓ, ડેરી એસોસીએશનના સાથીદારો, સ્ટોક એક્ષચેન્જના મિત્રો, શુભેચ્છકો વગેરે જોડાયા હતા.

વૈષ્ણવ પરિવારનો એક વડલો ખરી પડતા સમગ્ર વૈષ્ણવ પરિવાર ભાંગી પડયો હતો. વૈષ્ણવ પરિવાર ઉપર આવી પડેલી આ દુઃખની ઘડીમાં ઈશ્વર સદ્ગતના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તથા પરિવારને આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના...

(10:10 am IST)