Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ભગવતીપરાના મનિષ વાઘેલાનું રાજકોટથી અપહરણઃ રંગપરમાં ધોલધપાટ બાદ મુકત કરાયો

ભીખા વાડોદરાની પત્નિ ગૂમ થતાં મનિષનો મિત્ર ભગાડી ગયાની શંકા પરથી ઉઠાવી જવાયો'તો

રાજકોટ તા. ૨૪: ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં અને છુટક સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં મનિષ ચમનભાઇ વાઘેલા (ઉ.૩૪) નામના વાલ્મિકી યુવાનને બુધવારે ઘરે હતો ત્યારે બોટાદ નજીકના રંગપર ગામે રહેતાં ભીખા કાનાભાઇ વાડોદરા નામના વાલ્મિકી યુવાને તેને હોસ્પિટલ ચોકીમાં બોલાવી 'તારા મિત્ર હિતેષને શોધવા જવું છે, એ મારી પત્નિને ભગાડી ગયો છે, તું ભેગો આવ' તેમ કહી ઇકો કારમાં બેસાડી જુના માર્કેટ યાર્ડ પાસે લઇ જઇ 'હિતેષ કયાં છે તેની તને ખબર છે, સરનામુ આપ' તેમ કહી મારકુટ કરી બાદમાં રંગપર લઇ જઇ ત્યાં પણ માર મારી ગોંધી રાખી છેલ્લે હિતેષ રાજકોટમાં જ હોવાની અને તે કોઇને ભગાડી ગયો નહિ હોવાની ખબર પડતાં મનિષને ગઇકાલે છોડી મુકવામાં આવતાં તે સારવાર માટે દાખલ થયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ બાબતે બી-ડિવીઝનમાં નોંધ કરાવી હતી. મનિષે પોતાનું અપહરણ કરી મારકુટ કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હોઇ પોલીસ વિશેષ તપાસ કરે છે.

(11:38 am IST)