Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઘરફોડ ચોરીમાં સામેલ રણુજાના અજય નાયકાને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૨૪: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ એક ગુનેગારને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. રણુજા મંદિર પાછળ ગોકુલ સોસાયટી-૧માં રહેતાં મુળ વલસાડના અજય જગદીશભાઇ નાયકા (ઉ.૨૮)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલવાનો હુકમ થતાં વોરન્ટની બજવણી કરવામાં આવી છે.

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીેએસઆઇ ધાખડા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે વોરન્ટ બજવણી કરી છે. પીસીબીના પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. શૈલેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ અને અશ્વિનગીરીની  ટીમે વોરન્ટની દરખાસ્ત કરી કરી હતી જે મંજુર થતાં અજયને પાસા તળે ધકેલી દેવાયો છે. આ શખ્સ ભકિતનગર અને તાલુકા પોલીસ મથક વિસ્તારના ચાર ચોરીના ગુનામાં પકડાયો હતો. (૧૪.૮)

 

(4:09 pm IST)