Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

લોહાણા આગેવાન પ્રવિણભાઈ કોટકની સુપુત્રી ચિ.વિધિ સંગ ચિ.સાનિલની સગાઈ

વિજયભાઈ - નીતિનભાઈ સહિતના નેતાઓ, દેશ- વિદેશના નામાંકીત ઉદ્યોગપતિઓની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટઃ ઈસ્કોન ગ્રુપના ચેરમેન તથા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટક(મો.૯૮૭૯૨ ૦૬૬૬૧)ના નિવાસસ્થાન ''કોટક હાઉસ'' ખાતે તેઓની સુપુત્રી ચિ.વિધિ સંગ ચિ.સાનિલની સગાઈના માંગલિક પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા તથા મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, સંગઠન મંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા અદાણી ગ્રુપના શ્રી ગૌતમભાઈ અદાણી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી પરિમલ નથવાણી ઉપરાંત રાજયના મુખ્ય સચિવશ્રી, જે.એન.સિંઘ, સરકારશ્રીના ઉચ્ચ અધિકારીશ્રીઓ, રાજય અને દેશ વિદેશના નામાંકિત અનેક ઉદ્યોગપતિશ્રીઓ, પ્રેસ મીડિયાના અગ્રણીઓ, હાઈકોર્ટના જજશ્રીઓ, જીલ્લા કલેકટરશ્રીઓ, વિરપુર સ્થિત જલારામ મંદિરના ગાદીપતિ પ.પૂ.શ્રી રઘુરામબાપા સહીત અનેક સંતો મહંતો, અમદાવાદ શહેરના મેયર શ્રી બીજલબેન પટેલ, સમાજશ્રેષ્ઠીઓ, ડોકટરો, એડવોકેટશ્રીઓ, સી.એ. અને સમગ્ર લોહાણા સમાજના આગેવાનો, પરિવારજનોએ ઉપસ્થિત રહી શ્રી પ્રવિણભાઈ કોટક અને શ્રી જયેશભાઈ કોટક પરિવારને આ માંગલિક પ્રસંગે શુભેચ્છા, આર્શીવાદ અને શુભકામનાઓ પાઠવી હતી.(૩૦.૬)

(4:08 pm IST)