Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પૂ.ઈન્દુબાઈ મ.સ. તીર્થધામમાં આજે રાત્રે ૮ વાગ્યે દિવ્યજાપઃ પારણાં તથા બહુમાન સંપન્ન

રાજકોટ,તા.૨૪: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે આયંબિલની ઓળીના પારણાં તથા પૌષધના પારણાંનો ભવ્યાતિભવ્ય સમારોહ સંપન્ન થયેલ. ૧૭૫થી વધુ પૌષધ. પોષધ કરનાર દરેક તપસ્વીને રૂ.૮૮૦/- અને આયંબિલની આખી ઓળી કરનાર તપસ્વીને રૂ.૧૫૦૦/- આપી બહુમાન કરાયેલ છે. પૂ.મોટા મહાસતીજીની ૮૭મી જન્મજયંતિ પ્રસંગે આજે રાત્રે ૮ કલાકે દિવ્યજાપ યોજાશે.

આજે શરદપૂનમ  અનેક માનવસેવાના- જીવદયાના- ધર્મના કાર્યો દ્વારા ઉજવાઈ રહી છે. પૂ.મોટા મહાસતીજીના દર્શન તથા માંગલિક માટે આજે નાલંદા તીર્થધામમાં માનવ મહેરામણ ઉમટી પડેલ. પારણાં દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતા. ગઈકાલે નાલંદા તીર્થધામ પૌષધમય બની ગયુ હતું. હજારો માણસોએ અનેરો લાભ લીધો.

આ પ્રસંગે અશોકભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, પ્રદિપભાઈ માવાણી, પરેશભાઈ સંઘાણી, ભીખુભાઈ ભરવાડા, વસંતભાઈ કામદાર, વિમલભાઈ મહેતા, સુનિલભાઈ શાહ, દિપકભાઈ દોશી, આર.આર.બાવીશી પરિવાર, નવિનભાઈ શાહ, જયંતભાઈ ભરવાડા, ધિરેનભાઈ ભરવાડા, હેમાંગભાઈ, શૈલેષભાઈ, સંપટભાઈ મારવાડી, અંકુરભાઈ મારવાડી, જયભાઈ વોરા, બીનાબેન શેઠ, ચારૂબેન વોરા, ભુપેન્દ્રભાઈ મહેતા, દક્ષાબેન દોશી, શૈલેષભાઈ ઉદાણી આદિ તથા સોનલ સેવા મંડળ, સોનલ સિનીયર સિટીઝન, સોનલ સખી મંડળ, સોનલ સહારા ગ્રુપ, નાલંદા શ્રી સંઘના પદાધિકારીઓ, હર્ષાબેન દોશી, હિમાંશુભાઈ શાહ, કલ્પનાબેન શાહ, શારદાબેન મોદી, પ્રફુલ્લાબેન, મંજુબેન પૂંજાણી, રીચાબેન માવાણી તથા રાજુભાઈ મોદી, જંકશન યુવક મંડળે સેવા બજાવી હતી.

આ પ્રસંગે જૈન વિઝન કમિટીના મિલનભાઈ કોઠારી, કુશલભાઈ કોઠારી, નીતિનભાઈ મહેતા આદિ નામી- અનામી અનેક વ્યકિતઓએ હાજર રહી પૂ.મોટા મહાસતીજીની જન્મજયંતિની અનુમોદના કરી હતી તથા ભાવવંદના કરી ધન્યતા અનુભવી હતી. નાલંદા તીર્થધામ ધર્મધ્યાનથી અને માનવસેવાથી ધમધમી રહ્યું છે.(૩૦.૫)

(4:05 pm IST)