Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વોર્ડ નં.૦૪માં એકતા રથયાત્રા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૪માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયાના હસ્તે કરાયેલ. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય,ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, પુર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગૌસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી. પટેલ, અલ્પેશભાઈ પરમાર, હિતેશભાઈ ગોહિલ, ચંદુભાઈ ભંડેરી, અશ્વિનભાઈ લૌખીલ, સંજયભાઈ રાઠોડ, જેસીંગભાઈ રાઠોડ, દેવદાનભાઈ કુંગસીયા, દિલીપભાઈ, સુરેશભાઈ સવસેતા, રામભાઈ બિહારી, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૪)

 

(3:55 pm IST)