Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

નિરંજન સોસાયટીનો રસ્તો ડામરથી મઢાશેઃ નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે ખાતમૂહૂર્ત

રાજકોટ શહેરમાં જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વોર્ડ નં.૦૨માં રામેશ્વર ચોક સોસાયટી મેઈન રોડ તથા નિરંજન રોડ પર  ડામર રોડનું ખાતમુહુર્ત પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવેલ.. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ કોર્પોરેટર  ધર્મેન્દ્રભાઈ મીરાણી, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, વોર્ડ અગ્રણી નીલેશભાઈ બારૈયા, ગુલાબસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ, જીતેન્દ્રસિંહ જાડેજા, રાવલભાઈ, હેમાંગભાઈ જાની, કૌશિકભાઈ અઢીયા, અપનભાઈ કાપડિયા, અરૂણભાઈ દવે, મંગલાણીભાઈ, રવિભાઈ જાડેજા, મોહનભાઈ ભરડવા, જયેશભાઈ ત્રિવેદી, ગાંધીભાઈ, નીલેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ રાઠોડ, નૈમીશભાઈ પરમાર, અતુલભાઈ પંડિત, દીપાબેન કાચા, ભાવનાબેન ચતવાણી, કાળુમામા, દિલાવરસિંહ જાડેજા, બંકિમભાઈ કાપડિયા, પંકજભાઈ સોમૈયા, અશોકભાઈ સોમૈયા, વિનોદભાઈ પંડ્યા, જસુમતીબેન, જીગ્નેશભાઈ રાઠોડ, દિનેશભાઈ માંડલિયા, મનીષભાઈ કોઠારી, ભરતભાઈ પારેખ, ભુપેન્દ્રભાઈ દવે, નંદલાલભાઈ પાલા, સુનીલભાઈ પાલા, અલ્પેશભાઈ પંડ્યા, યોગેશભાઈ ડવ, કમલેશભાઈ રાઠોડ દર્શિતભાઇ વ્યાસ તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૨.૧૪)

 

(3:53 pm IST)