Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

નિતીન રામાણી સાથે સમાધાન ફગાવાતા તેઓને રાજીનામુ આપવાની ફરજ પડીઃ મહેશ રાજપુત

રાજકોટ, તા., ૨૪: કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ કોર્પોરેટર પદેથી પણ રાજીનામુ આપનાર વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ કોંગ્રેસ પક્ષ સાથે માફીપત્ર આપી સમાધાન કરવાની તૈયારી બતાવી હતી પરંતુ તેઓનું સમાધાન પાર્ટીએ ફગાવી દેતા આજે કોર્પોરેટર પદેથી નિતીનભાઇ રામાણીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું.

આ અંગે મહેશભાઇએ જણાવ્યું હતું કે નિતીનભાઇ રામાણીએ કોંગ્રેસ પક્ષમાં અવાર નવાર અશિસ્ત દાખવતા તેઓને સસ્પેન્ડ કરવાની નોટીસ આપ્યા બાદ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીમાંથી રાજીનામું આપી દેવા તાકીદ કરાઇ હતી. આથી નિતીનભાઇએ  આ બાબતે માફીપત્ર આપી અને શરતી સમાધાન કરવા તૈયારી બતાવી હતી પરંતુ પક્ષના આગેવાનોએ તેઓને આ બાબતે સ્પષ્ટ ના પાડી અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવા નોટીસ ફટકારી હતી. જે સંદર્ભે આજે નિતીનભાઇએ કમિશ્નરશ્રીને તેઓનું રાજીનામું આપી દીધું હતું. (૪.૧૨)

(3:49 pm IST)