Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

તલાટી હડતાલ ત્રીજા દિવસમાં પ્રવેશીઃ કામગીરી પર અસર વધી

રાજકોટ તા.૨૪: તલાટીઓ દ્વારા પોતાની પડતર માગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. આજે હડતાલ ત્રિજા દિવસમાં પ્રવેશતા  રાબેતા મુજબની સરકારી કામગીરી પર વિપરીત અસર વધી છે.

પંચાયત તલાટીઓ સાથે સાંજે વાટાઘાટો કરાઇ પરંતુ મંત્રણા નિષ્ફળ નીવડતા હડતાલ લંબાઇ છે, દરમિયાન સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે, અમદાવાદ જિલ્લા કલેકટરે એકતા રથયાત્રાની જવાબદારી આંગણવાડીની બહેનોને સોંપી છે, જયારે પંચાયતની વધારાની કામગીરી રેવન્યુ તલાટીઓને સોંપી છે.

દરમિયાન રાજકોટ જિલ્લામાં પણ એકતા રથયાત્રા ચાલુ છે, પંચાયતના તલાટીઓ હડતાલ ઉપર ઉતરી જતા પંચાયતની ગ્રામ્ય કક્ષાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

રાજકોટ જિલ્લાના ૩૦૦ સહિત કુલ ૧૧ હજારથી વધુ પંચાયતી તલાટીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે, જેની ગંભીર અસર ગ્રામ્ય કામગીરીમાં થઇ છે. તલાટી હડતાલ સંદર્ભે ત્વરિત કોઇ ઉકેલ આવે તેવું લોકો ઇચ્છી રહયા છે.

(11:09 am IST)