Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

હળવદ બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ તરીકે એડવોકેટ જયેશ જાની, ઉપપ્રમુખ હરીશ મહેતાની પુનઃવરણી

નવ દિવસ નોરતાનું અને દશેરાએ નાતજમણનું આયોજન

રાજકોટઃ શ્રી હળવદ બ્રહ્મ મિત્રમંડળ (હળવદ બ્રહ્મસમાજ) રાજકોટની સાધારણ સભા (સરદારનગર મેઇનરોડ, એસ્ટ્રોનચોક પાસે આવેલ સમાજની વાડી)મા ંયોજાયેલ જેમાં નવા વર્ષની કારોબારીની જાહેરાત કરવામાં આવતા પ્રમુખ તરીકે એડવોકેટ નોટરી જયેશ જાની (૯૪૨૬૭ ૩૨૬૨૬) અને ઉપપ્રમુખ તરીકે ખાણખનીજ વિભાગના નિવૃત અધિકારી હરીશ મહેતા(૭૯૮૪૨ ૦૭૭૭૨)ની પુનઃવરણી કરવામાં આવેલ હતી, જયારે મંત્રી તરીકે હર્ષદ વ્યાસ, સહમંત્રી યોગેશ દવે, કોૅષાધ્યક્ષ અશોક પુરોહીત, મહેશ શુકલની વરણી થયેલ અને કારોબારી સભ્યોમાં બૈજુ દવે, ઉમેશ શુકલ, પ્રકાશ જોષી, મનીષ આચાર્ય, વિપુલ દવે, ભાવિન શુકલ, ધ્યાનેશ શુકલ, અલ્પાબેન શુકલ, દિવ્યાબેન આચાર્યની નિમણૂંક થયેલ અને સલાહકાર સમિતિમાં સૂર્યકાંતભાઇ રાવલ, ચંદ્રકાંતભાઇ આચાર્ય, રૂતંભરભાઇ મહેતા, મુરલીભાઇ દવે, સતીષભાઇ મહેતાની નિમણૂંક કરવામાં આવેલ.

છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી હળવદ બોર્ડીગ–વાડીમાં સભ્યો માટે પ્રાચીન ગરબાનું પારિવારિક આયોજન રાજકોટની આ એકમાત્ર બ્રહ્મ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેનું આ વર્ષે પણ આયોજન થયેલ છે. દશેરાના દિવસે સભ્યો માટે ભંડારા–નાત જમણનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ખગોળશાસ્ત્રી હળવદના વતની જે.જે.રાવલ, અંજલીબેન રૂપાણી, કશ્યપભાઇ શુકલ, નાગરીક બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર, નીતિનભાઇ ભારદ્વાજ, દર્શિતભાઇ જાની, કમલેશભાઇ જોશીપુરા, ભાવનાબેન જોશીપુરા, કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ રાજયગુરૂ, જયોતિબેન રાજયગુરૂ, નેહલભાઇ શુકલ, શૈલેષભાઇ જાની, અતુલભાઇ પંડિત, અંશ ભારદ્વાજ વિગેરે ઉપસ્થિત રહેશે.

સૌને પરિવારજનો સહિત દર્શન અને ગરબામાં જોડાવા પ્રમુખ જયેશ જાની તથા ઉપપ્રમુખ હરીશ મહેતાએ અનુરોધ કરેલ છે.(

(4:23 pm IST)