Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભાજપ મહીલા મોરચા દ્વારા રવિવારે મહીલાઓ માટે ઓપન રાજકોટ રાસોત્સવ

રાજકોટ : તા.રપ ના રવિવારે શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા સાંજે ૪ થી ૮  દરમ્યાન ૧પ૦  ફુટ રોડ, અમીનમાર્ગના ખુણે આવેલ લીયો લાયન્સ ગ્રુપ ખાતે  મહીલાઓ માટે ઓપન રાજકોટ રાસોત્સવ યોજાશે. આ અંગે પૂર્વતૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી અને શહેર ભાજપના તમામ મોરચાના પ્રભારી નરેન્દ્રસિહ ઠાકુર, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, રમાબેન હેરભા, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતિમાં મહિલા મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્રસિંહ ઠાકુર અને કિરણબેન માકડીયાએ માહિતી આપતા જણાવ્યું હતુું કે આ રાસોત્સવમાં પ્રીન્સેસ, વેલડ્રેસ સહીતના અનેક ઈનામો અર્પણ કરવામાં આવશે. આ માં આદ્યશકિતની આરાધનાના પાવન  રાસોત્સવમાં જોડાવા માટે રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી જયોતીબેન વાછાણી, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલએ શહેરની તમામ મહીલાઓને અનુરોધ કર્યો છે.

(4:21 pm IST)