Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બ્રહ્મપરિવારજનો માટે રાસોત્‍સવઃ દરરોજ ઇનામો

ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓ નીલ સીટી કલબમાં રમશેઃ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ સહિતના ઇનામો

રાજકોટઃ બ્રહ્મપરિવારો માટે કન્‍વીનર લલીતભાઇ ધાંધીયા સહકન્‍વીનર ભુપત મહેતા બ્રહ્મસંગમ સંસ્‍થા દ્વારા બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨નું આગામી તા.૨૬થી તા. ૪/૧૦ સુધી માધાપર ચોકડી પાસે, સ્‍વામીનારાયણ મંદિર સામે, જામનગરરોડ, ખાતે યોજવામાં આવશે.

નવરાત્રી મહોત્‍સવના આયોજન માટે સંસ્‍થાના પ્રમુખશ્રી ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, શ્રી.ડોશરદભાઇ રાજગુરૂ, શ્રીધીરુભાઇ મહેતા, શ્રીસુરેશભાઇ મહેતા, શ્રીરસિકભાઇ ભટ્ટ, શૈલેષભાઇ મહેતા, દિલીપભાઇ દવે, ડી.આર.દવે, શ્રીબીપીનભાઇ દવે, ભાનુભાઇ જોશી વિગેરેની બનેલી આયોજન સમિતિના કન્‍વીનર તરીકે લલીતભાઇ ધાંધિયા, સહકન્‍વીનર ભુપતભાઇ મહેતાની ટીમ જોડાયેલ છે.

દરરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ, વેલકિડ્‍સ સહિત ૧૭ જેટલા ઇનામો ૧થી ૩માં આવતા વિજેતાઓને આપવામા આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્‍ચે મેગા ફાઇનલ ઇવેન્‍ટ નીલસીટી કલબમાં રમવા માટે તક આપવામાં આવશે.

ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્‍થાના કાર્યાલય સ્‍પેસકોમ્‍પલેક્ષ(બીજો માળ) ૨૧/૨૨ (કોર્નર), ન્‍યુજાગનાથ, મહાકાળી મંદિરરોડ, રોયલ કેશર એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ (ફોન નં.૦૨૮૧-૨૪૬૩૨૪૭) સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

આયોજનમાં હોદેદારો તથા કન્‍વીનર અને સહકન્‍વીનર માર્ગદર્શન હેઠળ સર્વ કમીટીના સભ્‍યો ગીરધરભાઇ જોશી, મનીષભાઇ બામટા, અમિતભાઇ માઢક, યજ્ઞેશભાઇ દવે, દિનેશભાઇ બોરીસાગર, જયદેવભાઇ વ્‍યાસ, અલ્‍પેશભાઇ રવિયા, કલ્‍પેશભાઇ બામટા, દેવાંગ રવિયા, પંકજભાઇ ચાંવ, જીજ્ઞેશભાઇ દવે, જયેશભાઇ દવે, નેવિલભાઇ જોશી તેમજ મહિલા પાંખના સભ્‍યો તૃપ્તિબેન જોશી, શિવાની મહેતા, દર્શનાબેન જોશી, રચના જોશી વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

જયેશ દવે/ દિપક જોશી પ્રસ્‍તુત ઓરકેસ્‍ટ્રા સીંગર તેજસ ત્રિવેદી, પુજા થાનકી તથા રાજ પંજાબી ખેલૈયાઓને ધુમ મચાવશે(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 pm IST)