Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવરાત્રિ પહેલા બહુચરાજી મંદિરના મહંતનો ગળાફાંસો ખાઈ આપઘાત

 સુરત,તા.૨૪ : કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર બેચરાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ૨૫ વર્ષથી માતાજીની સેવા પૂજા કરતા મહંત શંભુનાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ માહિતી મંદિરના ભકતો તેમજ મંદિરની આસપાસ રહેતા લોકોને થતા તેઓ તાત્કાલિક મંદિરે દોડી આવ્યા હતા. મંદિરના મહંતે આપઘાત કરતા ભાવિકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.   નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિરના પરિસરમાં આપઘાત કર્યો હોવાને લઈ ચકચાર મચી જવા પામી છે.

(3:39 pm IST)