Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

શ્‍યામલાલજીની હવેલીમાં નોરતામાં નવવિલાસ રાસગરબા

દ્વારકેશ મંડળ ગ્રુપના ગાયકો રસપાન કરાવશેઃ મુખિયાજી જયેશભાઇ

રાજકોટઃ સમસ્‍ત વલ્લભીય વૈષ્‍ણવ સૃષ્‍ટિને જણાવતા આનંદ થાય છે કે વૈષ્‍ણવો જેની આતુરતાથી રાહ જોતાં હોય છે તે નવવિલાસનો ભવ્‍ય કાર્યક્રમ આવી ચૂકયો છે. મુખિયાજી શ્રીજયેશભાઇની પ્રેરણાથી નવ વિલાસ(પુષ્‍ટિ રાસોત્‍સવ)નું ભવ્‍ય આયોજન રાજકોટથી સૌથી પ્રાચીન શ્રીશ્‍યામલાલજીની હવેલીમાં યોજાશે.તા.૨૬/૯ (એકમ)થી ૦૪/૧૦ (નોમ)ના રોજ સુધી સાંજે ૬થી ૭.૩૦ કલાકે પ્રભુની ઝાંખી તેમજ ઠાકોરજી સન્‍મુખ અલૌકિક નવવિલાસ (રાસ ગરબા)માં ગાયક કલાકાર દ્વારકેશ મંડળ ગ્રુપ દ્વારા રાસોત્‍સવના અદભુત આનંદનું રસ-પાન કરાવશે કાર્યક્રમની સમાપ્તી પછી કણીકા પ્રસાદ(અલ્‍પઆહાર) પણ રાખેલ છે. સમગ્ર વૈષ્‍ણવ સૃષ્‍ટિને પ્રભુની અલૌકિક ઝાંખીનો લાભ લેવા તેમજ આ મંગલ રાસોત્‍સવને દીપાવવા આપ સર્વે વલ્‍લભીય સૃષ્‍ટિને મુખિયાજી શ્રીજયેશભાઇ હરિદાસભાઇ તરફથી નિમંત્રણ અપાયુ છે.શ્રીશ્‍યામલાલજીની હવેલી(જૂની સદરની હવેલી), પંચનાથમંદિર મેઇનરોડ, જય સીયારામ ભગતપેંડાવાળાની સામે, રાજકોટ મો. ૮૫૧૧૭ ૬૩૭૬૩

(3:31 pm IST)