Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના

સંત બોસ સ્વામી અક્ષરવાસી થયાઃ વધુ ત્રણ થી ચાર સંતો અને પાર્ષદોને કોરોનાઃ મંદિર તા.૧ ઓકટોબર સુધી બંધ

રાજકોટઃ અહિંના સુપ્રસિધ્ધ એવા શ્રી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સંત કોઠારી શ્રી હરિપ્રકાશ સ્વામી (બોસ  સ્વામી) અક્ષર નિવાસી થયા છે.

તેઓને કોરોના વળગતા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. બોસ સ્વામી આજરોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. દરમિયાન ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના વધુ ત્રણ થી ચાર સંતો અને પાર્ષદોને કોરોનાની અસર થયાનું જાણવા મળે છે અને હાલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. મંદિરના સંતો અને પાર્ષદોને કોરોના વળગતા નિજ મંદિરને તા.૧ ઓકટોબર સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

(4:20 pm IST)