Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટમાં વધુ ૪ જૈન સાધ્વીજીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ : કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તા. રર ના રોજ જૈન સમાજના ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ. પ્રભાબાઇ મ.સ. (પૂ. પ્રભુજી) કોરોનાને કારણે કાળધર્મ પામતા ચિંતાનું મોજુ છવાયેલ.

જયારે રોયલ પાર્ક તથા શાંતિ નિકેતન ઉપાશ્રયમાં બિરાજીત મહાસતીજીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા પૂ. રાજેમતીબાઇ મ.સ., પૂ. હિમાંશીબાઇ મ.સ., પૂ. ભવિતાબાઇ મ.સ. તથા પૂ. અમિતાબાઇ મ.સા.નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ ચારેય સાધ્વીજીઓ રોયલ પાર્ક તથા યુનિ. રોડ શાંતિ નિકેતન ખાતે આઇસોલેટ થયા છે.

(11:42 am IST)