Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કચરા કૌભાંડની પત્રકાર પરિષદમાં વિપક્ષી નેતા ગેરહાજર!!

સમગ્ર કાર્યક્રમથી અજાણ : વશરામ સાગઠીયા

રાજકોટઃ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકત્રિત થયેલ કચરાને ડમ્પીંગ સાઈડમાં ઠાલવવા માટે અપાયેલ ખાનગી કોન્ટ્રાકટ દ્વારા વજન વધારવા માટે ધૂળ અને પથ્થરો નાખી છેલ્લા ૨૦ વર્ષથી જબરૂ કૌભાંડ ચાલી રહ્યુ છે તેની વિગતો માટે આજે સવારે ૧૦ વાગ્યે પત્રકાર પરિષદમાં ડો.હેમાંગ વસાવડા દ્વારા આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા હાજર ન રહેતા અનેક તર્ક વિર્તકો થઇ રહ્યા છે. તેઓએ આ અંગે જણાવ્યુ હતુ કે, આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેવા મને આમંત્રણ અપાયુ ન હતુ. 

(3:47 pm IST)