Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સૂરશ્રી ગ્રુપના ગાયક પ્રવીણ મકવાણા નવરાત્રિમાં દુબઈમાં ધૂમ મચાવશે

રાજકોટઃ સૂરશ્રી ગ્રુપના ગાયક કલાકાર શ્રી પ્રવીણ મકવાણા નવરાત્રિમાં કંઠના કામણ પાથરવા દુબઈ જઈ રહ્યા છે. તેઓ ત્યાં ૧૫ દિવસ ગાયક તરીકે કાર્યક્રમો રજુ કરશે.

સરધાર પાસેના ખડવાવડી ગામના વતની શ્રી પ્રવીણ મકવાણાને (મો. ૯૦૯૯૧ ૪૨૧૬૭) શુભેચ્છા પાઠવવાનો આમંત્રિતો માટેનો કાર્યક્રમ કાલે તા. ૨૫મીએ સાંજે ૭ થી ૯ આજી ધ વ્યુ ગાર્ડન રેસ્ટોરન્ટ, આજી ડેમ ચોકડીથી ભાવનગર રોડ તરફ અડધો કિ.મી.એ રાજકોટ ખાતે રાખેલ છે. તેઓ તા. ૨૭મીએ પ્રસ્થાન કરશે.

(3:35 pm IST)