Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગોવિંદભાઇ વરમોરા અને પાટીદાર ભામાશાઓનું સન્માન કરાશે : હેમુ ગઢવી હોલમાં રાત્રે સમારોહ

ઉંજા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય દાતાનું સૌભાગ્યા પ્રાપ્ત કરનાર

રાજકોટ,તા.૨૪:સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ગોવિંદભાઈ વરમોરા તેમજ પાટીદાર ભામાશાઓનો આજે રાત્રે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે. પાટીદાર સમાજના  ગોવિંદભાઈ વરમોરા ઉંઝા ખાતે યોજાનાર લક્ષચ૦ડી મહાયજ્ઞના સવા ચાર કરોડનાં મુખ્ય દાતા બનતા તેમનું સન્માન કરાશે. સંમારંભમાં મથુરભાઇ સવાણી, ગગજીભાઇ સુતરીયા, નાથાભાઇ કાલારીયા, મૌલેશભાઇ ઉકાણી, શિવલાલ આદ્રોજા, વલ્લભભાઇ કટારીયા, પુનિતભાઇ ચોવટીયા, જગદિશભાઇ કોટડીયા, ધરમશિભાઇ શિતાપરા, શ્મિતભાઇ કનેરીયા, ત્રંબકભાઇ ફેફર, મનસુખભાઇ પાણ, જેરામભાઇ કુંડારીયા, ચંદુભાઇ વિરાણી, વિઠલભાઇ ધડુક, કાંતીભાઇ માકડીયા, સૈલેશભાઇ ગોવાણી, રાજનભાઇ વડાલીયા, અરવીંદભાઇ પાણ, જીવણભાઇ ગોવાણી, મુળજીભાઇ ભિમાણી, દીલીપભાઇ ધરસંડીયા, બાબુભાઇ ઘોડાસરા, વલ્લભભાઇ વડારીયા, મનસુખભાઇ સાવલીયા, ડોજીગ્નેશ મેવા ., મહેશભાઇ સાવલિયા, જશુભાઇ ઠોરીયા, , કેકુડારીયા.જી,, જમનભાઇ ભલાણી, ધિરુભાઇ દઢાણીયા, ઇશ્વરભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવનાર છે, આજે તા.૨૪ના રાત્રે ૮ વાગ્યે હેમુગઢવી હોલ,  ખાતે યોજાયેલ પાટીદાર રત્નોનાં સન્માન કાર્યક્રમમાં આવવા બધાને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મેરજા મહામંત્રી ગીતાબેન પટેલ ચેરમેન નાથાભાઈ કાલરીયા એમડી વિભાબ્રેન પટેલ ઉપપ્રમુખ

જયોતિબેન ટીલવા તેમજ સમસ્ત પાટીદાર સમાજનાં ૨૨૫૦ સભ્યો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવાયું છે.ગોવિંદભાઈ સમસ્ત પાટીદાર સમાજનાં દાતા ટ્રષ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્લેટિનમ ટ્રસ્ટીશ્રી અને કોર કમિટીના સક્રિય સભ્ય છે. સીદસર અને ઉંજા મંદીરનાં ટ્રષ્ટી છે તેમના .સનહાર્ટ ગ્રુપ ,મોરબી અમદાવાદ દ્વારા તેઓએ ઉંજા લક્ષ્યચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ના પાટલાની ઉછામણીમાં રૂ૪ .,૨૫,૫૫,૫૫૧ અંકે રૂપિયા ચાર કરૌડ પચ્ચીસ લાખ પંચાવન ) -/હજાર પાનસો એકાવન પુરા ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે .

હેમુંગઢવી હોલ ખાતે રાત્રે ૮ વાગ્યે આયોજીત આ સન્માન સમારોહમાં સમસ્ત પાટીદાર સમાજે ઉપસ્થિત રહેવા મુકેશભાઇ મેરજા (મો. ૯૪૨૬૭  ૩૭૨૭૩)ની યાદીમાં જણાવેલ છે.

(3:28 pm IST)