Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગુરૂ-શુક્રવારે ૭ વોર્ડમાં પાણીકાપ

એનસી-ર૦ લાઇનમાં શટડાઉન લેવામાં આવનાર હોય ચંદ્રેશનગર, રેલનગર, બજરંગવાડી, રૈયાધાર તથા ગાંધીગ્રામ વિસ્તારમાં પાણી વિતરણ બંધઃ મ્યુ.કોર્પોરેશનની સતાવાર જાહેરાત

રાજકોટ, તા., ર૪: શહેરના વેસ્ટ ઝોન અંતર્ગત વોર્ડ નં. ૧, ર (પાર્ટ), ૯ (પાર્ટ)ના વિસ્તારોમાં તા.ર૭ તથા વોર્ડ નં. ર (પાર્ટ), ૩ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ)ના વિસ્તારોમાં તા.ર૬ના પાણીકાપની જાહેરાત મ્યુ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ જીડબલ્યુઆઇએલ દ્વારા એનસી-ર૦ પાઇપ લાઇનમાં શટડાઉન લેવામાં આવનાર હોવાથી મ્યુ. કોર્પોરેશનના વેસ્ટ ઝોન અંતર્ગત તા.ર૬ના વોર્ડ નં. ર (પાર્ટ), ૩ (પાર્ટ) , ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ)ના ચંદ્રેશનગર, રેલનગર અને બજરંગવાડી હેડ વર્કસમાં વિતરણ થતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.  આ ઉપરાંત તા.ર૭ શુક્રવારના રોજ વોર્ડ નં. ૧, ર(પાર્ટ), ૯ (પાર્ટ)ના રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

(3:20 pm IST)