Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કુવાડવાના ગારીડાના શાંતાબેન વાઘેલાનું દાઝી જવાને કારણે મોત

રાજકોટ તા. ૨૪: કુવાડવા તાબેના ગારીડા ગામે રહેતાં શાંતાબેન રવજીભાઇ વાઘેલા (ઉ.૯૦)નું દાઝી જતાં મોત નિપજ્યું છે.

શાંતાબેન રસોઇ બનાવતી વખતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.  પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

ગોરધનભાઇ પેટની બિમારીથી બેભાનઃ મોત

સોરઠીયાવાડી-૯ના છેડે ઝૂપડપટ્ટીમાં રહેતાં ગોરધનભાઇ મોહનભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૬૨) નામના વૃધ્ધને પેટની બિમારી હોઇ બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના ઇએમટી પિયુષભાઇ ધોળકીયાએ તેમને મૃત જાહેર કરતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા (ખારવા)એ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:24 pm IST)