Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટના નામચીન બલી ડાંગર મારફતે પતાવી દેવાની જુનાગઢના ૪ શખ્સોની ધમકી

જુનાગઢની વૃધ્ધ મહિલાની પોલીસ ફરીયાદ

જુનાગઢ તા ૨૪  :  રાજકોટના નામચીન બલી ડાંગર મારફતે પતાવી દેવાની જુનાગઢના ૪ શખ્સોએ ધમકી આપી હોવાની ફરીયાદ વૃધ્ધાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢના ઝાંઝરડાના વલ્લભનગરમાં શહેતા આાહીર નાથીબેન દેવાયતભાઇ પીઠીયા (ઉ.વ. ૫૮) નામના વૃધ્ધાના દિકરા અર્જુન ઉર્ફે અશ્વિનની જુનાગઢના સંજય ડોસાભાઇ વીરાભાઇ પુંજાભાઇ તથા ઘેલાભાઇ અને બાલા પરબત રબારીએ તા. ૨૬/૦૯/૨૦૧૫ ના રોજ હત્યા કર્યાની જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ.

આ ફરિયાદનું કોર્ટમાં સમાધાન કરવા નાથીબેન તેના સમાજના લોકો મારફતે ૪ શખ્સોએ કહેવડાવેલ.

જો સમાધાન નહીં કરો તો રાજકોટ બલી ડાંગર મારફતે નાથીબેન અને તેના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વૃધ્ધાએ રાત્રે તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પાંચેય શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. (૩.૧૨)

(1:20 pm IST)