Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટ કોમર્શીયલ સેન્ટરના ચેરમેન તરીકે સતત ૧૭ મી વખત રાજુભાઇ પોબારૂની વરણી

રાજકોટ તા. ૨૪ : રાજકોટ કોમર્શીયલ સેન્ટરના એકઝીકયુટીવ ડાયરેકટર અને ઇલેકશન માટે રીટર્નીંગ ઓફીસર તરીકે નિમાયેલ પી. બી. પાઠકની યાદીમાં જણાવ્યા મુજબ તાજતેરમાં સંસ્થાની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સીનીયર ડાયરેકટર ભરતભાઇ વસાએ ચેરમેન તરીકે રાજુભાઇના નામની પ્રપોઝલ મુકતા સૌ ડાયરેકટરોએ એકી અવાજે ટેકો જાહેર કરતા સતત ૧૭ મી વખત રાજુભાઇ પોબારૂની ચેરમેન તરીકે નિમણુંક થઇ હતી. જયારે વાઇસ ચેરમેન તરીકે હર્ષદભાઇ વીઠ્ઠલાણીની વરણી થયેલ.

સરળ વ્યકિતત્વ ધરાવતા રાજુભાઇ પોબારૂ રાજકોટના સન્માનનીય વ્યકિત છે. સમસ્ત રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે તેમજ શ્રી રણછોડદાસજીબાપુ સદ્દગુરૂ આશ્રમના ટ્રસ્ટી તરીકે તેમજ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સેક્રેટરી તરીકે તેમજ અન્ય ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કોમોડીટી એક્ષચેન્જ તરીકે દેશમાં આર.સી.એકસનું અનેરૂ સ્થાન જમાવવામાં પણ રાજુભાઇ પોબારૂ (મો.૯૮૨૪૦ ૪૦૫૫૯) નો ફાળો મહત્વનો બની રહેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ કોમોડીટી એક્ષચેઇન્જના નામથી એક સમયે ઓળખાતી રાજકોટ કોમર્શીયલ ચેમ્બરનું બીલ્ડીંગ સટ્ટાબજારમાં આવેલ છે. ૭૦ વર્ષ જુના આ ૫૩૦૦ વારમાં ૮૫ વિશાળ ઓફીસ ધરાવતા બિલ્ડીંગની કિંમત હાલ કરોડોમાં થવા જાય છે. પરંતુ ૧૦૦ જેટલા સભ્યોના હીતમાં આ બીલ્ડીંગ હવે રી-ડેવલપ થવુ જરૂરી હોવાનો મત વ્યકત થઇ રહ્યો છે. ખરેખર આ દિશામાં કદમ ઉઠવાય તેવી લાગણી સભ્યો વ્યકત કરી રહ્યાનું યાદના અંતમાં જણાવાયુ છે.

(11:45 am IST)