Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જીવદયા ગ્રુપ દ્વારા રૂ.૪૧૦ મણ લીલી જાર ગૌમાતાઓને અર્પણ

જીવદયા ગ્રુપ દ્વારા શ્રાધ્ધ પક્ષમાં ૪૧૦ મણ જેટલી લીલી જાર રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ગૌમાતાઓને અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રાજકોટ સ્કુલ એસોસીએશન પ્રમુખ અજયભાઇ પટેલ, સામાજીક કાર્યકર રમણીકભાઇ પરમાર, ગોંડલનાં કોટક મહીન્દ્રા બેંકના બ્રાન્ચ મેનેજર મનીષ મહેતા, બાપા સીતારામ ગૌ સેવા મંડળના હરેશ વીછી, જૈન સોશ્યલ ગ્રુપ ડાયમંડના પ્રમુખ તેમજ પાર્શ્ચ પ્રેમ જૈન સંઘ અને જૈન વીઝનનાં ધવલ દોશી ઉપસ્થિત રહ્યા હતા. હીતેશ દોશી તથા ભરત બોરડીયાએ જીવદયા ગ્રુપની પ્રવૃતિઓ વિશે સર્વેને વાકેફ કર્યા હતા. પંકજભાઇ કોઠારી અને રાજકોટ મહાનશ્રીની પાંજરાપોળમાં ૫૦૦૦ જેટલા જીવોનો નીભાવ થઇ રહ્યો હોઇ સર્વેને દાનની સરવાણી વહેડાવવા માટે અપીલ કરેલ. આ તબકકે સામાજીક કાર્યકર બીનવારસીબોડીઓનાં અતીમ સંસ્કાર કરનાર રમણીક પરમારની સેવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાંજરાપોળનાં જીવદયાપ્રેમી સુમનભાઇ કામદારે ખરા અર્થમાં જીવદયા કોને કહેવાય તે વિશે સર્વેને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયસ વિરાણી, મૂકેશ બાટવીયા, પંકજ કોઠારી, કરણ શાહ, યોગેશ શાહ, ઉપેન મોદી, સંજય મહેતા, બકુલ રૂપાણી, મેનેજર અરૂણ દોશી, જનસેવા ટ્રસ્ટના અજય વખારીયા, પ્રકાશ મોદી, નીરવ સંઘવી, પારસ મોદી, હીતેશ દોશી, ભરત બોરડીયા, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, દીનેશ મોદી, હિરેન કામદાર, સમીર કામદાર, કીર્તી પારેખ, નીખીલ શાહ, પારસ શાહ, દીવ્યેશ કામદાર, નીલેશ દોશી, નીરવ પારેખ, સુનીલ દામાણી, ભીખુભાઇ ભરવાડા, ઋષભ વખારીયા, વિમલ બાવીસી, હરેશ દોશી હેમા મોદી, જીજ્ઞા મોદી, દક્ષા મહેતા,અલ્કા બોરડીયા, હેતલ દોશી, હીરલ બાવીસી, અમી મહેતા, ગીતા મહેતા, બીના દોશી ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ યોગેશભાઇ શાહ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમનું સમાપન ડોટર્સ ડે હોય દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર ગીત સાંભળીને કરવામાં આવ્યું હતું.

(4:03 pm IST)