Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મ્યુ. કોર્પોરેશન અને મહારાષ્ટ્ર મંડળ દ્વારા અમૃતમ કાર્ડ કેમ્પ યોજાયો

મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટમાં વસતા મહારાષ્ટ્રીયનો માટે એક અમૃતમ કાર્ડનો કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પનું ઉદઘાટન દિપ પ્રાગટય દ્વારા રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ આ કેમ્પના પ્રણેતા આરોગ્ય ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. તે વખતની તસ્વીરમાં ઉપસ્થિત લાભાર્થીઓ  અને મેયરશ્રીએ આ યોજનાનો વધુમાં વધુ નાગરીકો લાભ લેવા અપીલ કરી રાજકોટને પ્લાસ્ટીક મુકત કરવાનો સંકલ્પ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા મહારાષ્ટ્ર મંડળના પ્રમુખ કુશલ પરક્ષ્લીકર, સચિન વાયરમારે, વિજયભાઇ, અમુલ કર્ણિક, અશોકભાઇ, મનીષભાઇ સુરવેબેન, અનિલભાઇ, સતીષ જાદવ, વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)