Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

માલધારી સોસાયટીમાં ૨૨ વર્ષની પ્રજાપતિ યુવતિ નિકીતાનો આપઘાત

માથુ દુઃખે છે કહી ઉપરના રૂમમાં સુવા ગયા બાદ ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૪: જુના માર્કેટ યાર્ડ નજીક માલધારી સોસાયટીમાં રહેતી નિકીતા દામજીભાઇ જાગાણી (ઉ.૨૨) નામની ગુર્જર પ્રજાપતિ યુવતિએ સાંજે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ માલધારી સોસાયટીમાં રહેતી નિકીતા રવિવારે બપોર બાદ માથુ દુઃખે છે તેમ કહી ઘરના ઉપરના રૂમમાં સુવા માટે ગઇ હતી. એ પછી સાંજે છએક વાગ્યે તેના કાકા તેણીને ઉઠાડવા ગયા ત્યારે તેણીએ છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લીધાની ખબર પડતાં સ્વજનો અવાચક થઇ ગયા હતાં. તાકીદે નિકીતાને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ વી. કે. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નિકીતા બે ભાઇની એકની એક નાની બહેન હતી અને પરિવારજનોને ઘરમાં ચાંદીકામ કરવામાં મદદરૂપ થતી હતી. તેના પિતા દામજીભાઇ ભાણજીભાઇ જાગાણી હીરા ઘસવાનું કામ કરે છે. માતાનું નામ નિરૂબેન છે. માથાના દુઃખાવાથી કંટાળીને આ પગલું ભર્યાની ચર્ચા છે. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

(3:57 pm IST)